Posts

ખેરગામની ગૌરવમય સફળતા: U-14 ખેલમહાકુંભમાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વિજય યાત્રા.

Image
 ખેરગામની ગૌરવમય સફળતા: U-14 ખેલમહાકુંભમાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વિજય યાત્રા. આજ રોજ  તારીખ 22મી જાન્યુઆરી 2025નાં દિને નવસારી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાયેલી U-14 ખેલમહાકુંભ ભાઈઓની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ અપૂર્વ પ્રદર્શન કર્યું અને ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળા, બહેજ ગામના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યુ. રાહુલ મિનેષભાઈ કિલબલી એ ચક્રફેંકની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો. તેનો આ  ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવો એક મોટી સિદ્ધિ છે. આ ઉપરાંત,  રોહન સતિષભાઈ પટેલ એ 400મી. દોડમાં બીજું ક્રમ પ્રાપ્ત કર્યું. તેમના રમત પ્રત્યેના પ્રેમ દૃઢ નિશ્ચયથી આ મોટી સ્પર્ધામાં રણવિર બનીને દોડમાં ઉત્તમ પ્રદર્શન કર્યુ. આ બંને વિદ્યાર્થીએ માત્ર પોતાને નહીં, પરંતુ બહેજ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકાને પણ ગૌરવમય બનાવ્યો છે. તેમની આ સિદ્ધિઓ યુવા પેઢી માટે એક પ્રેરણા બની રહી છે. આને કારણે, રમતગમતના પ્રસાર અને પ્રોત્સાહન માટે પણ એક નવા દૃષ્ટિકોણની શરૂઆત થઈ છે. CREATE ARTIFICIAL INTELLIGENCE I...

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
     વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિ...

ગૌરી, બહેજ કૃતિખડક અને ખેરગામમાં ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા શૈક્ષણિક વિકાસનું નવું પાનું

Image
ગૌરી, બહેજ કૃતિખડક અને ખેરગામમાં ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા શૈક્ષણિક વિકાસનું નવું પાનું ખેરગામ તાલુકાના ગૌરી, બહેજ કૃતિખડક ગામ અને ખેરગામ કન્યા શાળા ખાતે રૂ. ૫.૫૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય નરેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પટેલે આ શાળાઓમાં ઉત્તમ શિક્ષણ અને સુવિધાઓ પ્રદાન થવા માટે શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શિક્ષણ, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં સફળતાની શુભકામનાઓ આપી. આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુવિધાઓ અને સંવર્ધન માટે સરકાર દ્વારા ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ નાખ્યો. તેમણે જણાવ્યું કે આ પ્રકારના વિકાસ કાર્યોના કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં સહાય મળશે, જેનાથી તેઓનું સર્વાંગી વિકાસ શક્ય બનશે. આ સાથે, સ્થાનિક ગામવાસીઓએ પણ આ નવી શાળાઓના નિર્માણને પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે આ પ્રકલ્પો દ્વારા નાના ગામોના બાળકોને શિક્ષણમાં સારો પ્રભાવ થશે. એ સમયે ગામના અગ્રણી, શિક્ષકો, પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેઓએ આ કાર્ય માટે લોકપ્...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

Image
 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Image
Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Image
  Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામ...

Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં.

Image
  Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં. આજરોજ તારીખ : 17-10-2024નાં દિને ચીખલી અને ખેરગામ તાલુકાના રૂમલા ચીકારપાડા પ્રાથમિક શાળા, ચીખલી ખેરગામ એસ.એચ., ઘેજ બીડ કણબીવાડ, તલાવચોરા મોટા ફળિયા તથા તલાવચોરા ડેન્સા ફળિયા જેવા વિવિધ સ્થળો ખાતેથી અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યા હતા. જેમાં દરેક ગામનાં અગ્રણી આગેવાનો, રાજકીય આગેવાનો તથા હોદ્દેદારો અને  ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત  સૌને નરેશભાઇ પટેલે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates