Posts

Showing posts from January, 2026

બહેજ પ્રાથમિક શાળાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઇચાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Image
બહેજ પ્રાથમિક શાળાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઇચાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તા. **16/01/2026 (શુક્રવાર)**ના રોજ  બહેજ પ્રાથમિક શાળા  દ્વારા વિદ્યાર્થીઓ માટે  સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા પોઇચા  ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશના ગૌરવ, ઐતિહાસિક મહત્વ, પર્યાવરણ જાગૃતિ અને પ્રાયોગિક જ્ઞાનનો વિકાસ કરવો હતો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, કાર્ય અને રાષ્ટ્રીય એકતાના સંદેશ વિશે માહિતી મેળવી. ત્યારબાદ પોઇચા ખાતે કુદરતી સૌંદર્ય, આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે અવલોકન કર્યું. શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રવાસ શિસ્તબદ્ધ અને આનંદદાયક રહ્યો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શૈક્ષણિક અનુભવને યાદગાર બનાવ્યો. શાળા વ્યવસ્થાપન દ્વારા આવા પ્રવાસો સતત આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

બહેજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી

Image
 બહેજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી બહેજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની આનંદમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકોોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાના આંગણામાં તેમજ મેદાનમાં બાળકોએ પતંગ ચગાવી ઉત્સવનો આનંદ માણ્યો. પતંગ કપાતાં “કાયપો કાયપો”, “ખેંચ ખેંચ”ની બૂમો અને ચીચીયારીઓથી સમગ્ર શાળા ગુંજી ઉઠી અને વાતાવરણ ખૂબ જ ઉત્સાહભર્યું બની ગયું. આ અવસરે તમામ બાળકોને તલના લાડુ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું અને પતંગોત્સવને યાદગાર બનાવવામાં આવ્યો.

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
  ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉ...